વિગતો
Listen
Cotton | कपास | कपाशी
Krishi Gyan
3 year
Follow

કપાસ ના પાક માં છોડો ના સુકવા ની સમસ્યા પર આવી રીતે કરો નિયંત્રણ

કપાસ એક લાભ વાળો પાક છે. આની ખેતી ની સારી રીતે કાળજી કરીને ખેડૂત વધારે ઉપજ લઈ શકે છે. પરંતુ કપાસ માં ઘણા રોગો અને કીટો નો ચેપ જોવા મળે છે. આ બધા માં એકજ સમસ્યા છે કપાસ ના છોડો નું સુકવું. આ સમસ્યા થી કપાસ ના છોડ સુકાવા લાગે છે અને પાક ઉત્પાદન પ્રભાવિત થાય છે. ખેડૂતો સમય થી આ સમસ્યા ને નથી ઓળખતા અને પાછળ થી આ સમસ્યા સમગ્ર ખેતર માં પ્રસરી જાય છે. આના થી પાક ને નુકસાન પહોંચે છે. આજે આ લેખ ના માધ્યમ થી અમે ખેડૂતો ને કપાસ ના છોડો ના સુકવા ની સમસ્યા નો કારણ, લક્ષણ અને નિયંત્રણ ના ઉપાય જણાવીશું. જાણવા માટે વાંચો આ લેખ.

કપાસ ના છોડો ના સુકવા ની સમસ્યા ના કારણ

  1. મૂળ સડો રોગ

  2. સડો અથવા ઉખટા રોગ

  3. ફયુજેરિયમ વિલ્ટ રોગ

મૂળ સડો રોગ ના લક્ષણ અને નિયંત્રણ ના ઉપાય

  • આ રોગ રાઈજોકટોનિયા બટાટીકોલા નામ ની ફૂગ ના લીધે થાય છે.

  • ઘણી વાર ખેતર માં જળ ભરાવ ના લીધે મૂળ સડો ની સમસ્યા થાય છે.

  • આના થી છોડો ના મૂળ સડવા લાગે છે.

  • આ રોગ ના થવા પર છોડ સુકાવા લાગે છે.

  • મૂળ સડો રોગ પર નિયંત્રણ માટે યોગ્ય પાક ચક્ર અપનાવો.

  • પ્રભાવિત છોડો ને બીજા ખેતર માં લઈ જઈ કાં તો દબાવી ડો અથવા સળગાવી ને નષ્ટ કરી દો.

  • વાવણી થી પહેલા દર કિલોગ્રામ બીજ ને 2 ગ્રામ કારબેનડાજિમ થી ઉપચારિત કરો.

  • ભેજ વાળા ક્ષેત્ર માં મૂળ સડો રોગ થી બચવા માટે હમેશા પ્રતિરોધી જાત નો ચયન કરો.

સડો અથવા ઉખટા રોગ ના લક્ષણ અને નિયંત્રણ ના ઉપાય

  • આ રોગ થી છોડો ની સંખ્યા ઓછી થઈ જાય છે.

  • પાક ના ઉત્પાદન માં ઘટાડો જોવા મળે છે અને છોડ કરમાઈ જાય છે.

  • ઉખટા રોગ ના નિયંત્રણ માટે ખેડાણ પછી માટી ને તડકા માં છોડી દો.

  • છોડો ની વચ્ચે જગ્યા વધારે રાખો.

  • 2 ગ્રામ કોબાલ્ટ ક્લોરાઇડ ને 200 લિટર પાણી માં મિક્સ કરી દર એકર ના મુજબ છાંટો.

  • 50 કિલોગ્રામ ડીએપી ખાતર ને 10 કિલોગ્રામ મેગ્નેશિયમ સલ્ફેટ અને 5 કિલોગ્રામ સલ્ફર ને એક સાથે મિક્સ કરી દર એકર માં રિંગ વિધિ દ્વારા નાખો.

ફયુજેરિયમ વિલ્ટ રોગ ના લક્ષણ અને નિયંત્રણ ના ઉપાય

  • ફયુજેરિયમ વિલ્ટ રોગ માટી અને બીજ માં થનાર ફૂગ મેક્રોફોમીના ફેજીયોલીના ના લીધે થાય છે.

  • આ રોગ નો પહેલો લક્ષણ છોડો નો કરમાવું છે.

  • વધારે ચેપ હોવા પર છોડ ના પાન પીળા થવા લાગે છે અને છોડ સુકાઈ જાય છે.

  • પહેલા આ રોગ એક છોડ માં લાગે છે. તેના પછી સમગ્ર ખેતર માં પ્રસરી જાય છે.

  • આ રોગ થી બચાવ માટે પાક ની વાવણી થી પહેલા બીજ નો ઉપચાર કરો.

  • છેલ્લા ખેડાણ ના સમય માટી માં છાણિયું ખાતર અને લીમડા ની ખળી નો ઉપયોગ કરો.

  • સંતુલિત માત્રા માં ખાતર નો પ્રયોગ કરો.

  • બીમારી ના નિયંત્રણ માટે દર એકર ખેતર માં 100 લિટર પાણી માં 1 ગ્રામ કોબાલ્ટ ક્લોરાઇડ નામ ની દવા મિક્સ કરી ને છાંટો.

આ પણ વાંચો:

  • કપાસ ના પાક માં થ્રિપસ રોગ ના નિયંત્રણ થી સંકળાયેલી માહિતી અંહી થી મેળવો.

ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને કૃષિ સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે ખેડૂતો આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.


Like
Comment
Share
Get free advice from a crop doctor

Get free advice from a crop doctor