વિગતો
Listen
Ground nut | मूँगफली | भुईमूग
Krishi Gyan
3 year
Follow

મગફળી ના ખેતર માં ઉધઈ પર નિયંત્રણ ના સચોટ ઉપાય

મગફળી એક તેલિયા પાક છે. આની ખેતી પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાન માં કરાય છે. આની ખેતી માં ઘણીવાર ઉધઈ નો ચેપ જોવા મળે છે. આમાં આશરે ૪૫ ટાકા પાક નષ્ટ થઇ જાય છે. ઉધઈ માટી ની અંદર રહી છોડો ને નુકસાન પહોંચાડે છે. જો સમય પર આ વાત નું ધ્યાન ના અપાય તો આ સંપૂર્ણ ખેતર માં પ્રસરી આખા પાક ને નુકસાન કરે છે. તેથી સમય પર આનો નિયંત્રણ કરવું જરૂરી છે. આજે આ લેખ ના માધ્યમ થી અમે ખેડૂતો ને મગફળી ના ખેતર માં ઉધઈ ના લક્ષણ અને નિયંત્રણ ના ઉપાય જણાવીશું. જાણવા માટે વાંચો આ લેખ.

મગફળી ના ખેતર માં ઉધઈ ના લક્ષણ અને કારણ

  • ઉધઈ પોલીફેગસ કીટ ના લીધે થાય છે.

  • ઉધઈ મુખ્યતઃ હળવી ભીની અથવા ભેજવાળી માટી પોતાના થુંક વડે વસ્તી નું નિર્માણ કરે છે.

  • ઉધઈ ના થુંક માં મળનારું દ્રવ્ય માટી ની સાથે મળી ને તડકા માં સખત થઇ જાય છે.

  • આ કીટ માટી માં સુરંગ બનાવી છોડ પર હુમલો કરે છે.

  • આ મગફળી ના બીજ અને અંકુરિત છોડો ના મૂળ ને નાસ્સ્ત કરી દે છે.

  • આના લીધે છોડો કરમાઈ ને સૂકી જાય છે અને ખેંચવા પર સરળતા થી ઉખડી જાય છે.

  • આ ફળી ની અંદર દાણાની જગ્યાએ માટી ભરી દે છે.

  • આ કીટ ભૂરા કલર નો હોય છે.

  • આ કીટ ની ઈયળો માટી ની બનેલી તિરાડો અથવે પડેલા પાનની સંતાયેલી રહે છે.

  • ઉધઈ મુખ્યતઃ રાત ના સમય છોડો ના પાન અથવા કોમળ થડ ને કાપી ને નુકસાન પહોંચાડે છે.

  • ખેતર માં પાણી ભરવા ની સ્થિતિ માં આનો ચેપ જોવા મળે છે.

  • ખેતર માં કાચું છાણ નો વપરાશ કરવા થી આનો ચેપ વધે છે.

  • છોડો ને પૂરતી માત્રા માં તડકો ન મળવા થી પણ ઉધઈ નો ચેપ વધી જાય છે.

ઉધઈ નિયંત્રણ ના ઉપાય

  • ખેતર માં ક્યારેય કાચું છાણ ના વાપરો.

  • ઉધઈ થી પ્રભાવિત છોડો ને નષ્ટ કરી દો.

  • ખેતર માં જળ નિકાસી ની યોગ્ય વ્યવસ્થા કરો.

  • વાવણી થી પહેલા એક કિલોગ્રામ બીજ ને 20 ગ્રામ બીવેરીયા બેસીયાના ફૂગ નાશક થી ઉપચારિત કરો.

  • વાવણી થી પહેલા ખેતર માં લીમડા નો કેક 30 કિલોગ્રામ દર એકર ની દર થી માટી માં મિક્સ કરો.

  • 1 કિલોગ્રામ બીવેરીયા બેસીયાના ફૂગ નાશક અને 25 કિલોગ્રામ છાણીયું ખાતર મિક્સ કરી વાવણી થી પહેલા ખેતર માં નાખો.

  • ઉભા પાક માં ઉધઈ ના નિયંત્રણ માટે ૧ લીટર ક્લોરોપાયરીફોસ 20 ઇસી ને 20 કિલોગ્રામ માટી માં મિક્સ કરી દર એકર ની દર થી ખેતર માં ચંતી હળવી સિંચાઈ કરો.

આ પણ વાંચો :

ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને કૃષિ સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે ખેડૂતો આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.



1 Like
2 Comments
Like
Comment
Share
Get free advice from a crop doctor

Get free advice from a crop doctor