વિગતો
Listen
fertilizer | उर्वरक | खते
soybean | सोयाबीन | सोयाबीन
Krishi Gyan
2 year
Follow

સોયાબીન: સારા ઉત્પાદન માટે આ રીતે કરો ખાતર પ્રબંધન

અમારા દેશ માં રવી પાક ની કાપણી પછી સોયાબીન ની ખેતી કરવામાં આવે છે. બજાર માં આના બીજ ની સાથે આના તેલ ની માંગ પણ સતત કાયમ રહે છે. તેથી ખેડૂતો માટે આ વધારે લાભ આપનારો પાક છે. જોકે ઘણીવાર સોયાબીન ની ખેતી  ના સમય અમુક ભૂલો ના લીધે ઉત્પાદન માં ઘટાડો આવી જાય છે. જેમાં ખાતર પ્રબંધન પણ શામેલ છે. યોગ્ય સમય પર અને યોગ્ય માત્રા માં ખાતર નો ઉપયોગ ના કરવા થી પાક ની ગુણવત્તા ઉપર પણ પ્રતિકૂળ અસર થાય છે. સોયાબીન નો સારો પાક મેળવવા માટે ખાતર પ્રબંધન ની માહિતી અંહી થી મેળવો.

સોયાબીન ની ખેતી નો યોગ્ય સમય

  • પર્વતીય ક્ષેત્ર માં વાવણી માટે 25 મે થી 15 જૂન સુધી નો સમય યોગ્ય છે.

  • જમીની ક્ષેત્રો માં આની વાવણી 20 જૂન થી 10 જુલાઇ સુધી કરાય છે.

સારા પાક માટે ખાતર પ્રબંધન

  • ખેતર ના છેલ્લા ખેડાણ થી પહેલા દર એકર દીઠ 4 ટન છાણિયું ખાતર સારી રીતે ભેળવો.

  • ખેતર તૈયાર કરતાં સમય દર એકર દીઠ ખેતર માં નાઇટ્રોજન 12.5 કિલોગ્રામ (યુરિયા 28 કિલોગ્રામ) અને ફોસ્ફોરસ 32 કિલોગ્રામ (સિંગલ સુપર ફોસ્ફેટ 200 કિલોગ્રામ 8 કિલોગ્રામ સલ્ફર એટલેકે ગંધક ભેળવો.

  • પોટાશ ની ઉણપ થાય તોજ પોટાશ નો ઉપયોગ કરો.

  • છોડો ના સારા વિકાસ અને સારી ઉપજ માટે યુરિયા 3 કિલોગ્રામ ને 150 લીટર પાણી માં ભેળવી વાવણી ના 60 દિવસ પછી સ્પ્રે કરો અને તેના 10 દિવસ પછી ફરી એકવાર સ્પ્રે કરો.

  • સારી ઉપજ માટે દર એકર જમીન માં 80 કિલોગ્રામ નો પણ ઉપયોગ કરો.

આ પણ વાંચો:

ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને કૃષિ સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે ખેડૂત આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.


Like
Comment
Share
Get free advice from a crop doctor

Get free advice from a crop doctor